18/03/2025
Gangeshwar Mahadev, Diu
મહાભારતના સમય માં પાંડવો દ્વારા સ્થાપિત ૫ શિવલિંગ નો સમૂહ ગંગેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. જેમાં સૌથી મોટા શિવલિંગ ની સ્થાપના ભીમ દ્વારા કરવામાં આવી છે. ગંગેશ્વર મંદિર દીવથી 3 કિલોમીટર દૂર આવેલું છે. ગંગેશ્વર તરીકે ઓળખાતું શિવલિંગ સમુદ્ર કિનારે ખડકોની વચ્ચે જોવા મળે છે. તે બીચ પર આવેલું હોવાથી, ગંગેશ્વરના ગુફા મંદિરમાં પથ્થરમાં આવેલા "શિવ લિંગ" ને પ્રણામ કરતી સૌમ્ય દરિયાઈ મોજાઓ તેમની આસપાસ રહસ્યમય આભા ધરાવે છે જ્યાં ભગવાન તેમની હાજરીનો અનુભવ કરાવે છે. એવું માનવામાં આવે છે કે ૫ પાંડવોએ તેમના વનવાસ દરમિયાન આ મંદિરમાં ભગવાન શિવની સ્થાપના અને પુજા કરી હતી.